Thursday, April 28, 2016

ફરિયાદો

ટેકનિકલ ખામી ને કારણે સૂર્યોદય નહી થાય આકાશ મા શુ કયારેય , આવુ લખેલુ પાટીયુ દેખાય ?

માન્દો હોવા ને કારણે , આજે ચંદ્ર નહિ દેખાય. શુ રાત્રે આવા સમાચાર, ગગન મા ફલેશ થાય?

બિલાડી ને ઘુટણ મા વા થયો છે, એનાથી ઊંદર નહિ પકડાય. દરરોજ બે વાર મુવ લગાડે, તો જ કઇક થશે ઉપાય.

ભમરા ના પગે છાલા પડયા છે, હવે એનાથી ફુલ પર નહી બેસાય. એની એડી એ ક્રેક ક્રીમ લગાવો, તો જ એનાથી ફુલ જોડે પ્રેમ થાય.

વાઘ ને આંખે મોતિયો આવ્યો, એટલે એને શિકાર નહિ દેખાય. એનુ ઓપરેશન તો થઈ શકે, પણ ડોક્ટર વાઘ થી બહુ ગભરાય.

હાથી ને કેળા ની લાલચ ના આપો, હવે એ કેળા નહિ ખાય. ભાઇ , ડાયેટિંગ ચાલે છે એનુ, પછી કેટલુ વજન વધી જાય?

આ આખી દુનિયા મા બધા જીવો, સરળતાથી જીવી જાય. શુ માણસ નુ જ આખુ જીવન બસ ફરિયાદો મા જ પુરુ થાય??