એક બસ ડ્રાઈવર અને એક ધર્મગુરૂ મરીને સ્વર્ગમાં ગયા.
ચિત્રગુપ્તે બન્નેના ચોપડા જોઈને બસડ્રાઈવરને રહેવા પુષ્કળ નોકરચાકર સાથેનો એક ભવ્ય મહેલ આપ્યો.
પેલા ધર્મગુરૂને રહેવા એક સામાન્ય બે રૂમનું ઘર મળ્યું. ગુરૂને એ અન્યાય લાગ્યો.
તેમણે ફરિયાદ કરી,
ચિત્રગુપ્તે બન્નેના ચોપડા જોઈને બસડ્રાઈવરને રહેવા પુષ્કળ નોકરચાકર સાથેનો એક ભવ્ય મહેલ આપ્યો.
પેલા ધર્મગુરૂને રહેવા એક સામાન્ય બે રૂમનું ઘર મળ્યું. ગુરૂને એ અન્યાય લાગ્યો.
તેમણે ફરિયાદ કરી,
એ ડ્રાઈવર તો આડેધડ બસ ચલાવતો હતો અને લોકોના જીવને જોખમમાં નાખતો હતો, છતાં તેને મહેલ અને મેં તો અનેક લોકોને કથામાં ઈશ્વર અંગે સમજાવ્યું અને ધર્મનો પ્રચાર કર્યો તોયે મને સામાન્ય ઘર?ચિત્રગુપ્તે તેમને કારણ સમજાવ્યું,
તમારી વાત સાચી છે. પણ જ્યારે તમે કથા કરતા ત્યારે લોકો ઝોકાં ખાતા હતા….અને જ્યારે એ ડ્રાઈવર બસ ચલાવતો ત્યારે લોકો ભગવાનનું નામ લેતા હતા…
No comments:
Post a Comment