Sunday, December 2, 2012

કાં ન સચવાયો ?

આજ નીરખીને ખુદનો પડછાયો,
સાવ કારણ વિના જ ભરમાયો.

બારણાં છે તો કો’ક દિ ખખડે,
ખોલવા આમ થા ન રઘવાયો.

બૂમ તો કેટલાયે પાડી’તી,
માત્ર મારો જ શબ્દ પડઘાયો.

આપણું ક્યાં હતું જે ખોયું’તું
કેમ એના વિષે તું કચવાયો ?

અંત વેળાએ પૂછશે ઈશ્વર
શ્વાસ તારાથી કાં ન સચવાયો ?

                                                        – ઉર્વીશ વસાવડા


No comments:

Post a Comment