આજ નીરખીને ખુદનો પડછાયો,
સાવ કારણ વિના જ ભરમાયો.
બારણાં છે તો કો’ક દિ ખખડે,
ખોલવા આમ થા ન રઘવાયો.
બૂમ તો કેટલાયે પાડી’તી,
માત્ર મારો જ શબ્દ પડઘાયો.
આપણું ક્યાં હતું જે ખોયું’તું
કેમ એના વિષે તું કચવાયો ?
અંત વેળાએ પૂછશે ઈશ્વર
શ્વાસ તારાથી કાં ન સચવાયો ?
– ઉર્વીશ વસાવડા
No comments:
Post a Comment